Vadtal : Gurupurnima Mohatsav || 21 July 2024

ગુરુપૂર્ણિમાના પાવનપર્વે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામીનારાયણે આશ્રિતોના ગુરુપદે સ્થાપેલ આચાર્ય પરંપરામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય પ.પૂ. સ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પૂજન માટે હજારોની સંખ્યામાં સત્સંગીઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો…

આ પ્રસંગે પૂ. આચાર્ય મહારાજશ્રી એ સૌ પ્રથમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને લાલજી મહારાજશ્રીએ સંપ્રદાયના ગુરુપદે બિરાજમાન પ.પૂ. આચાર્ય મહારાજનું સમગ્ર સત્સંગીઓ વતી પૂજન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ ગઢડા, જૂનાગઢથી ઉપસ્થિત સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને અંતે પ.પૂ. લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા આચાર્ય મહારાજશ્રી પ.પૂ. શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીએ આશિર્વાદ આપતાં કહ્યું હતું કે ભગવાને ચિંધેલા રાહ અને શાસ્ત્રોએ ચીંધેલા માર્ગ પર ચાલવાથી જ ભગવદ્ પ્રાપ્તિ થાય છે

#swaminarayan
#swaminarayanmandir #swaminarayantemple #vadtal #vadtalmandir #gurupurnima #gurupunam